સંવત 1878ના શ્રાવણ સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ રેશમના ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુનિ ઝાંઝ-મૃદંગ લેઈને કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજે કહ્યું જે કીર્તન રાખો; અમે વાત કરીએ છીએ, એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 2 || (135)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય ને મુક્ત થવું હોય તેને ઈંદ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો અને આત્મસુખ વતે પૂર્ણ રહેવું ને પોતાને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ માનીને તે ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ધારવી, તો ઇંદ્રિયો દ્વારે થઈને અંતઃકરણમાં આવેલા વિષય નિવૃત્ત થાય છે ને તેનું કલ્યાણ થાય છે આમાં નારદ, સનકાદિક નામે પોતાના મુક્તોને કહ્યા છે. (1) બાબત છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.