સંવત 1882ના પોષ સુદિ 4 ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને મુનિ દુકડ-સરોદા લઈને કીર્તન ગાવતા હતા, તે સમે શ્રીજીમહારાજ અંર્તદૃષ્ટિ કરીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીકવાર દર્શન દીધાં ને પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 8 || (208)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો ભક્ત પ્રથમ અમારી મૂર્તિમાં વૃત્તિ રાખે ત્યારે પંચભૂતના આકારે તે વૃત્તિ ભાસે છે, પછી વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે શ્વેત તેજોમય થાય છે, ને પછી અમારી મૂર્તિને આકારે થાય છે, એવી રીતે અમારે વિષે વૃત્તિ રાખતાં રાખતાં અમારે વિષે લીન થઈ જાય એટલે એક મૂર્તિ જ દેખાય; બીજું કાંઈ દેખાય નહિ તે યોગીની નિદ્રા છે. (1) બાબત છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.