વચનામૃત

૫૧. માયિક ઇંદ્રિયે ભગવાનનો નિશ્ચય ને દર્શન કેવી રીતે થાય? એ પ્રશ્નનો ખુલાસો - પુરુષોત્તમરૂપ થવાનો માર્ગ.

0:000:00

સંવત 1876ના મહા વદિ 2 બીજને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો સુરવાળ પહેર્યો હતો, ને ધોળો અંગરખો પહેર્યો હતો, ને માથે ધોળી પાઘ બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,


ઇતિ વચનામૃતમ્ || 51 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પૃથ્વીથી લઈને મૂળઅક્ષર આદિક સર્વેના કર્તા ને સર્વેના કારણ ને એ સર્વેમાં અમારી અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક ને મૂળઅક્ષરાદિક સર્વથી પર એવા જે અમે તે જીવોના કલ્યાણને અર્થે સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપીએ છીએ, ત્યારે જે જીવ અમારા મુક્તનો સમાગમ કરીને અમારો મહિમા સમજે ત્યારે તે જીવના ઇંદ્રિયો-અંત:કરણ સર્વે અમારા રૂપ થઈ જાય છે ત્યારે અમારું દર્શન અને અમારો નિશ્ચય થાય છે. (1) બાબત છે.