વચનામૃત

૭૮. શુભ-અશુભ દેશકાળાદિકથી પુરુષની બુદ્ધિ સારી-નરસી થવાનું કારણ - અચળ નિશ્ચયનું રૂપ - ભગવાન ને સંતમાં દોષબુદ્ધિ ન થવાનો ઉપાય - ત્રણે અવસ્થામાં ભગવાનની મૂર્તિ અખંડ જણાવાનો ઉપાય - સત્સંગમાં પાયો અચળ થવાનો ઉપાય - કામાદિક શત્રુ નાશ થવાનો માર્ગ - ભગવાન તથા સંતન

0:000:00

સંવત 1877ના અષાડ સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાઘ વિરાજમાન હતી, ને કંઠને વિષે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વે સંત સાંભળો: એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી સંતે કહ્યું જે, પૂછો મહારાજ! પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી મધ્યાહન સમે શ્રીજીમહારાજે સર્વે નાના નાના વિદ્યાર્થી સાધુને પોતાને સમીપે બોલાવ્યા ને એમ કહ્યું જે, તમે સર્વે વિદ્યાર્થી મુને પ્રશ્ન પૂછો. પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નિર્માનાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નિર્માનાનંદ સ્વામી ને નાના પ્રજ્ઞાનંદ સ્વામી એ બેયે મળીને પૂછ્યું જે,

પછી નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નાના આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શાન્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વેદાન્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો જે,

પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું જે,

એવી રીતે સર્વ મુનિના પ્રશ્નનો ઉત્તર કરીને પછી શ્રીજીમહારાજ સર્વેને પૂછતા હવા જે,


ઇતિ વચનામૃતમ્ || 78 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (26) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, કર્મનું બળ રાખવું નહિ ને રૂડા દેશાદિક સેવવા. (1) બીજામાં અમારા પ્રાકૃત ચરિત્રને કલ્યાણકારી જાણે તેનો પરિપક્વ નિશ્ચય છે. (2) ત્રીજામાં એવા નિશ્ચયવાળાને અમારે વિષે ને અમારા મુક્તને વિષે દોષબુદ્ધિ ન આવે. (3) ચોથામાં પૂર્વનો બળિષ્ઠ સંસ્કાર અથવા ભય, કામ ને સ્નેહ અખંડ હોય તેને અમારી મૂર્તિ ત્રણે અવસ્થામાં દેખાય છે. (4) પાંચમામાં સત્સંગનો પક્ષ હોય તેનો અચળ પાયો છે. (5) છઠ્ઠામાં એવા પક્ષવાળાના કામાદિક શત્રુ નાશ પામે છે. (6) અને જેને સત્સંગીને વિષે ને કુસંગીને વિષે સમભાવ હોય તે વિમુખ છે. (7) સાતમા ને આઠમામાં જેને સત્સંગનો પક્ષ હોય તેનો અમને ને સંતને ભરુસો આવે છે ને તેના ઉપર હેત રહે છે. (8) નવમામાં ઇંદ્રિયો-અંત:કરણને અગોચર અને અક્ષરધામથી પર એવા અમોએ દયા કરીને દર્શન આપ્યાં છે. (9) દશમામાં પોતાના રાજીપાનો ઉપાય બતાવ્યો છે. (10) અગિયારમામાં અમે ને અમારા મુક્ત જેવા અક્ષરધામમાં દિવ્ય છીએ તેવા જ દિવ્ય જાણે અને જ્યાં અમે ને અમારા મુક્ત વિરાજતા હોઈએ તે સ્થાનને અક્ષરધામ જાણે તો આઠે પહોર આશ્ચર્ય ને આનંદ રહે છે. (11) બારમામાં અમારા મુક્તને વિષે ગુરુબુદ્ધિ ને દેવબુદ્ધિ રાખીને મન-કર્મ-વચને સમાગમ કરે તો એમાં સંતનાં લક્ષણ આવે છે. (12) તેરમામાં નિર્વિકલ્પ સમાધિ ન થતી હોય તેણે કથા-કીર્તન કરવાં. (13) ચૌદમામાં પંચ વર્તમાન સંપૂર્ણ રાખે તેના ઉપર અમે ને અમારા મુક્ત પ્રસન્ન થઈએ. (14) પંદરમામાં કામાદિક શત્રુનું બળ ઘટવાનો અને કલ્યાણને માર્ગે ચાલ્યાની સામર્થી વધવાનો ઉપાય બતાવ્યો છે. (15) સોળમામાં અમને અક્ષરધામથી પર સર્વના કર્તા, નિયંતા ને મૂળઅક્ષરાદિક સર્વેને અમારી શક્તિએ કરીને ધરી રહ્યા છીએ એવો અમારો મહિમા જાણે અને અમને અણુ અણુ પ્રત્યે સર્વત્ર જાણે તો અમારી મર્યાદા રહે છે. (16) સત્તરમામાં અમારાં પ્રાકૃત ચરિત્રમાં સંશય કરવો નહિ. (17) અઢારમામાં અમે રામકૃષ્ણાદિક અવતારોમાં અમારું ઐશ્વર્ય મૂકીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે એવા જે અમે તે અમારા આ સંત છે એમ જાણે તો અમારા સંતનો મહિમા અતિશે જણાય છે. (18) ઓગણીશમામાં જીવનું અન્વય ને વ્યતિરેકપણું કહ્યું છે. (19) વીશમામાં અસદ્વાસના થવાનો ને વિમુખ થવાનો હેતુ કહ્યો છે. (20) એકવીશમામાં મોક્ષનો ઉપાય બતાવ્યો છે. (21) બાવીશમામાં મારકૂટ થાતી હોય, નિરાકારવાદી ને કર્મવાદી, શક્તિપંથી, કુડાપંથી તેમનો યોગ થતો હોય ત્યાંથી ભાગી છૂટવું. (22) તેવીશમામાં અમારું માહાત્મ્ય યથાર્થ જાણે નહિ તેને અસદ્વાસના રહે છે. (23) ચોવીશમામાં યથાર્થ માહાત્મ્ય જાણે તો અમારે વિષે ને મુક્તને વિષે ને અમારાં કથા-કીર્તનને વિષે અચળ હેત થાય છે. (24) પચીશમામાં અમને સર્વ અવતારોના કારણ જાણે તો અમારી નવધા ભક્તિ અચળ રહે છે. (25) છવીશમામાં કામ, ક્રોધ, લોભ એ ત્રણ નરકનાં દ્વાર છે. (26) અને આત્માનંદ સ્વામી આદિક ચાર સદ્‌ગુરુઓ મોટેરા છે એમ કહ્યું છે. (27) બાબતો છે.