વચનામૃત

૪૮. ભગવાનની ચિત્ર પ્રતિમાનું પ્રતિપાદન - ચાર પ્રકારના કુસંગીથી રક્ષા માટે ભગવદ્ પ્રતિમાને પ્રાર્થનારૂપી ઉપાય.

0:000:00

સંવત 1876ના મહા સુદિ 13 તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલું બળતી હતી, અને શ્રી વાસુદેવનારાયણની સંધ્યા-આરતી તથા નારાયણ ધૂન થઈ રહી.

તે કેડે શ્રીજીમહારાજ બોલ્યા જે, સર્વ સાવધાન થઈને સાંભળો. એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વ મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, હે મહારાજ! કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 48 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે પોતાની ચિત્રમૂર્તિ પ્રમાણ કરી છે ને પ્રાત:કાળે એ મૂર્તિ પૂજવાની આજ્ઞા કરી છે. (1) અને ચાર પ્રકારના કુસંગથી તથા કામાદિક શત્રુથી રક્ષા કરજો, એમ ચિત્રમૂર્તિની સ્તુતિ કરવાનું કહ્યું છે. (2) અને એ ચિત્રમૂર્તિ અમે પંડે જ છીએ, માટે અપૂજ્ય રહેવા દેવી નહિ અને પંચ વર્તમાનમાં રહીને પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિમાં અમે રહેશું એમ કહ્યું છે. (3) બાબતો છે.