સંવત 1884ના અષાડ વદિ 13 તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેડીના ગોખ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજે કહ્યું જે, આજ તો અમે અમારા રસોઈયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ! કેઈ રીતે વાત કરી? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 15 || (249)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ભૂંડા દેશ-કાળાદિકને યોગે કરીને પંચવિષયના ઘા લાગ્યા હોય તે નવધા ભક્તિ માંહીલી જે ભક્તિએ કરીને પંચવિષયનું સ્મરણ ન થાય તે અંગમાં રહીને અમારી માનસી પૂજા, નામ-સ્મરણ કરવું તો અતિશે સમાસ થાય, ને જે પોતાના અંગને ઓળખે નહિ તેને સુખ ન થાય.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.