વચનામૃત

૩૭. જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટાળવાનો ઉપાય - ભગવાનનું સદાસાકારપણું તથા સર્વકર્તાપણાનું પ્રતિપાદન.

0:000:00

સંવત 1876ના પોષ વદિ 14 ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને માથે ધોળી પાઘ વિરાજમાન હતી, અને તે પાઘમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને કંઠને વિષે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 37 ||


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં આત્મારૂપ માને તો જન્મભૂમિ તથા દેહના સંબંધીમાંથી હેત ટળી જાય છે. (1) અને અમારી ભક્તિ ન હોય, ને તેમાં બીજા ગુણ ઘણા હોય, તો પણ તેની સાથે હેત ન કરવું. (2) અને અમને ને અમારા મુક્તોને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે, અને અમને એકને જ કર્તા જાણે તેને માથે કાળ, કર્મ ને માયાનો હુકમ નથી. (3) અને એવી નિષ્ઠા ન હોય તે જડમતિવાળા ને મૂર્ખ છે. (4) ત્રીજી બાબતમાં કહી ગયા એવા અમારા સ્વરૂપના જ્ઞાનવાળા છે તેમનો ચૈતન્ય મૂર્તિમાન થઈને અક્ષરધામને વિષે અમારી હજૂરમાં રહે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (5) બાબતો છે.