વચનામૃત

૪૫. સર્વેને ગાફલાઈ ન રાખતાં સાવધાન રહેવા આદેશ - ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એમ વર્તવા વિશે બોધ.

0:000:00

સંવત 1880ના પોષ વદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી તે જ દિવસ સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 45 || (178)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે તમે સર્વે અમારા કહેવાઓ છો, માટે તમારે વિષે કાંઈ કસર રહેવા દેવી નથી અને તમે પણ અમારી આજ્ઞામાં તત્પર રહેજો ને જો ગાફલાઈ રાખશો એટલે દેહરૂપે વર્તશો તો અમારી આજ્ઞા પાળી શકાશે નહિ, તથા અમારા સંત-હરિજનના સમુદાયમાં રહી શકાશે નહિ. અને અમારે તો આત્મારૂપ થઈને અમારી ભક્તિ કરો એવા સર્વેને કરવા છે ને જો તેમાં કસર રહેશે તો બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જવું પડશે માટે સાવધાન એટલે આત્મસત્તારૂપે રહેજ્યો. (1) બીજામાં રાજસ, તામસ ને સાત્વિક કર્મે કરીને સ્વર્ગ, ર્મત્ય ને પાતાળને પામે છે. (2) અને દેશકાળાદિકને યોગે કરીને રાજસ કર્મના અનંત પ્રકારના ભેદ થાય છે. (3) અને અમે તથા અમારા સંત કુરાજી થાઈએ એવું કર્મ કરે તો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કરેલું હોય તે નાશ પામે અને ર્મત્ય લોકમાં દેહે કરીને યમપુરીના જેવું દુ:ખ ભોગવે. અને અમે તથા સંત રાજી થાઈએ એવું કર્મ કરે તો આ દેહે પણ અમારા ધામના જેવું સુખ ભોગવે. ને નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તે નાશ પામે ને અમારા અક્ષરધામને પામે. અને સૂર્ય-ચંદ્રાદિક જે જે સુખિયા છે તે અમને ને અમારા સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે સુખિયા છે. (4) બાબતો છે.