સંવત 1880ના ભાદરવા સુદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને ધોળું ધોતિયું પહેર્યું હતું, ને ધોળી ચાદર ઓઢી હતી, ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ દુકડ, સરોદા લઈને ગાવતા હતા.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે કીર્તન રાખો, પ્રશ્ન-ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજીમહારાજ બોલ્યા જે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું જે,
ઇતિ વચનામૃતમ્ || 34 || (167)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (2) છે. તે બેમાં માયાનાં કાર્યને જડ તત્વ કહ્યાં છે, અને માયાના પ્રકાશક મૂળપુરુષને ચૈતન્ય તત્વ કહ્યા છે. (1) અને અમે માયાથી ને પુરુષથી ન્યારા છીએ, અને જે જીવ અમારો આશરો કરે તે માયાને તરીને અમારું તેજ જે બ્રહ્મ તે રૂપ થઈને અમારા ધામને પામે છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.