૧૦. માધ્વમતના વિદ્વાન સાથે ચર્ચા - શ્રીજીમહારાજના સિદ્ધાંતનું નિરૂપણ.
0:000:00
સંવત 1883ના આસો વદિ 12 દ્વાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે શ્રીજીમહારાજ પાસે એક માધ્વી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો તેને શ્રીજીમહારાજે પૂછ્યું જે,
ઇતિ વચનામૃતમ્ || 10 || (244)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે તેમાં શ્રીજીમહારાજે ધ્રાંગધ્રા નિવાસી શાસ્ત્રી ભવાનીશંકર માધ્વી સંપ્રદાયના હતા તેને પોતાનો સિદ્ધાંત સમજાવ્યો છે, જે અમારી ઇચ્છાએ કરીને પુરુષ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે, ત્યારે માયામાં અનાદિ કાળના જીવ રહ્યા છે. તે ઉદય થઈ આવે છે પણ નવા થતા નથી, અને જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા તથા જીવ પણ અનાદિ છે અને તે જીવ અમારા અંશ નથી; અનાદિ જીવ જ છે, તે જ્યારે અમારે શરણે થાય ત્યારે બ્રહ્મરૂપ થઈને અમારા ધામને પામે એ અમારો સિદ્ધાંત છે. (1) બાબત છે.
પ્ર.૧ આમાં મૂળપુરુષને ઈશ્વર કહ્યા અને માયામાંથી પ્રધાન પુરુષાદિક ઉત્પન્ન થાય છે, તે સર્વેને જીવ ક્હ્યા. અને (મ. 31ના 2/5 બીજા પ્રશ્નમાં) વૈરાજપુરુષને ઈશ્વર કહ્યા છે તે કેવી રીતે સમજવું?
ઉ.૧ વૈરાજપુરુષને વિષે મૂળપુરુષનો આવિર્ભાવ છે તેથી તેને ઈશ્વર કહેવાય છે, પણ વાસ્તવ્ય ઈશ્વર તો મૂળપુરુષ જ છે, માટે આમાં વાસ્તવ્ય ઈશ્વરને ઈશ્વર કહ્યા છે, અને પરમેશ્વર શ્રીજીમહારાજે પોતાને કહ્યા છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.