સંવત 1882ના પોષ વદિ 9 નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 14 || (214)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં વર્ણાશ્રમના ધર્મથી બાહ્ય વર્તતો હોય એવા કુપાત્રને પણ અમારો કે અમારા સંતનો ગુણ આવે તો તેનું પાપ બળી જાય છે, ને તે પવિત્ર થાય છે ને અમારે વિષે ચિત્ત ચોંટે છે ને સમાધિ થાય છે. (1) અને વર્ણાશ્રમના ધર્મ પાળતો હોય ને તે અમારો કે અમારા સંતનો દ્રોહ કરે તો તે પંચ મહાપાપીથી વધુ પાપી છે, અને પંચ મહાપાપી અમારો કે અમારા સંતનો આશરો કરે તો અતિ પવિત્ર થાય, ને તેને સમાધિ થાય માટે વિમુખ પાપી જાણે તે પાપી નથી, ને ધર્મી જાણે તે ધર્મી નથી એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.