૧૧. વાસનાનું રૂપ - એકાંતિક ભક્તનું લક્ષણ.
સંવત 1876ના માગશર સુદિ 14 ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,
(પ્ર.૨) હે મહારાજ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.(બા.૨)
ઇતિ વચનામૃતમ્ || 11 ||
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અંત:કરણમાં વિષયની ઇચ્છા વર્તે તેને વાસના કહી છે. (1) અને બીજામાં નિર્વાસનિક થઈને બ્રહ્મ જે અમારું તેજ તે રૂપ પોતાને માનીને અમારી ભક્તિ કરે તે એકાંતિક ભક્ત છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે. || 11 ||