વચનામૃત

૨૬. ભક્તે ભગવાનના ગમતામાં રહેવું - ભજનમાં અંતરાયરૂપ સંબંધી હોય તેનો ત્યાગ કરવો - ભક્તનો અવગુણ ન લેવો.

0:000:00

સંવત 1879ના ભાદરવા સુદિ 11 એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,


ઇતિ વચનામૃતમ્ || 26 || (159)


રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને ભજતાં અંતરાય કરે એવા સંબંધીનો તથા અમને તથા અમારા ભક્તને ન ગમે એવા સ્વભાવનો ત્યાગ કરવો. (1) અને પોતામાં ગુણ જુએ ને બીજામાં અવગુણ પરઠે તે સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. (2) અને અમારી ભક્તિમાં આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ તે અંતરાય કરે તો તેને પાછા પાડીને અમારી ભક્તિ મુખ્ય રાખે તે અમારો પૂરો ભક્ત છે. (3) અને અમારા ભક્તે સર્વે સત્સંગીના ગુણ લેવા અને પોતાનો અવગુણ લેવો તો સત્સંગ વૃદ્ધિ પામે અને અવગુણ લે તે વિમુખ થાય. (4) અને શિખામણની વાત સવળી લે તેના ઉપર અમારે હેત થાય છે અને અવળું લે તેના ઉપર નથી થતું. (5) બાબતો છે.