૫. ભગવદ્ ભક્ત માટે ભગવાન વિશે પતિવ્રતાપણું, શૂરવીરપણું ને ભક્તનો પક્ષ રાખવાની અનિવાર્યતા.
0:000:00
સંવત 1878ના શ્રાવણ સુદિ 7 સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મુનિ તાળ-મૃદંગ લેઈને કીર્તન ગાવતા હતા.
પછી શ્રીજીમહારાજ નેત્રકમળની સાને કરીને તે કીર્તન રખાવીને બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 5 || (138)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં અમારે વિષે પતિવ્રતાપણું ને શૂરવીરપણું રાખવું ને તમારા પતિ એવા જે અમે તે અમારું કોઈ ઘસાતું બોલે એવા પાજીપલાવની છાયામાં દબાવું નહિ. (1) અને અમારો ને અમારા ભક્તનો પક્ષ રાખવો ને વિમુખનો પક્ષ રાખે તે વિમુખ થાય એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.