૨૧. એકાંતિક ધર્મનું લક્ષણ - ભગવત્પ્રસન્નતાનો ઉપાય - એકાંતિક ધર્મવાળા ભક્તને વર્તવાની રીત - અક્ષરના બે સ્વરૂપનું વર્ણન.
સંવત 1876ના પોષ સુદિ 3 ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજતા હતા, અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને ધોળી પાઘ માથે બાંધી હતી, ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાની આગળ સાધુ ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી.
પછી તે સર્વેને શ્રીજીમહારાજે છાના રાખ્યા, ને એમ બોલ્યા જે, સર્વે સાંભળો એક વાર્તા કરીએ: એમ કહીને ઝાઝીવાર સુધી તો નેત્રકમળને મીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા જે,
ઇતિ વચનામૃતમ્ || 21 ||
રહસ્યાર્થ પ્રદી.-- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં સ્વધર્માદિક ચાર સાધન દૃઢ કરે તેના ઉપર અમે પ્રસન્ન થઈએ છીએ. અને એ ચાર સાધન તે એકાંતિક ધર્મ છે. (1) અને સર્વે ક્રિયામાં અમારી મૂર્તિનું ચિંતવન કરવું. (2) અને દેહગેહાદિકને અસત્ય જાણીને તેથી પોતાનું સ્વરૂપ જુદું માનીને, ધર્મે સહિત અમારી નિષ્કામ ભક્તિ કરવી. (3) ને અમારો મહિમા સમજવા માટે સાધુનો સંગ રાખવો. (4) અને અમારે પ્રતાપે પશુનું પણ કલ્યાણ થાય છે. (5) અને અમારા એકાંતિક ભક્ત અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે ને અમારી સેવામાં રહે છે. (6) અને તે અક્ષરધામનાં બે સ્વરૂપ છે. (7) અને મુક્ત સર્વે અમારા દાસ છે ને અમે સર્વેના સ્વામી છીએ. (8) અને અમારા વિના બીજી વાસના રહી ગઈ હોય તેને સિદ્ધિઓ દેખાય તેમાં મોહ પામે તો મોટું વિઘ્ન થાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (9) બાબતો છે.
પ્ર.૧ ચોથી બાબતમાં સાધુનો સમાગમ કરવાનો કહ્યો, તે સાધુ કોને જાણવા? ને નિરંતર સંગ રાખવાનો કહ્યો, તે કેવી રીતે સંગ રાખે તો નિરંતર સંગ રાખ્યો કહેવાય?
ઉ.૧ શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના હોય ને સ્વધર્માદિક ચાર સાધને યુક્ત હોય, તેને આ ઠેકાણે સાધુ કહ્યા છે. અને એ સાધુનો સંગ સદાય કરવો. એવા સાધુનો યોગ દેહે કરીને ન હોય ત્યારે એ સાધુ થકી પ્રથમ જ્ઞાન સાંભળેલું હોય, તે સંભારીને તે પ્રમાણે નિરંતર વર્તવું તો નિરંતર સંગ રાખ્યો કહેવાય.
પ્ર.૨ પાંચમી બાબતમાં પશુ જેવાનું કલ્યાણ થાય એમ કહ્યું, તે કેવાં લક્ષણવાળો હોય તેને પશુ જેવો જાણવો?
ઉ.૨ સ્થૂળ દેહે વર્તમાન પાળતો હોય પણ સૂક્ષ્મ દેહમાં વિષયના સંકલ્પ થતા હોય, ને દેહાભિમાન હોય, ને વાસના હોય, ને આત્મા-પરમાત્માનું જ્ઞાન ન હોય, ને કથા-વાર્તામાં સમજતો ન હોય અને કોઈનો અવગુણ ન લેતો હોય, તે ત્યાગીમાં અથવા ગૃહસ્થમાં હોય તેને પશુ તુલ્ય કહ્યો છે.
પ્ર.૩ છઠ્ઠી બાબતમાં અર્ચિમાર્ગે કરીને અક્ષરધામને પામે છે એમ કહ્યું, તે અર્ચિમાર્ગ તે કિયો સમજવો? અને અક્ષરધામ કિયું જાણવું?
ઉ.૩ ચાર સાધને યુક્ત એવા એકાંતિક સાધુનો સંગ કરીને ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત નિષ્કામ ભક્તિ, એ ચાર સાધન સિદ્ધ કરીને એકાંતિક થાય, તે માયાથી મુક્ત થયો કહેવાય. પછી તેને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રહેવા માંડે, તે વૃત્તિ રાખતાં રાખતાં દેહની વિસ્મૃતિ થાય ને શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રકાશ દેખાય. તે તેજ દ્વારાએ શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય, તે તેજને અર્ચિમાર્ગ કહ્યો છે. અને શ્રીજીમહારાજની મૂર્તિના પ્રકાશને અક્ષરધામ કહ્યું છે. તે (પં. 1/1માં) પોતાની મૂર્તિના પ્રકાશને પોતાને રહેવાનું ધામ કહ્યું છે. તથા (મ. 13/2માં) પોતાના તેજને આત્મા તથા બ્રહ્મ તથા અક્ષરધામ કહ્યું છે. આનો વિસ્તાર (પ્ર. 7ના છઠ્ઠા પ્રશ્નોત્તરમાં તથા 45ના બીજા પ્રશ્નોત્તરમાં) કર્યો છે.
પ્ર.૪ શ્રીજીમહારાજના તેજરૂપ ધામને શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવક ભાવ છે કે નથી?
ઉ.૪ જેમ સૂર્યના પ્રકાશને સૂર્યને વિષે તથા અગ્નિની જ્વાળાને અગ્નિને વિષે સ્વામી-સેવક ભાવ નથી તેમ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને શ્રીજીમહારાજને વિષે સ્વામી-સેવક ભાવ નથી, કેમ જે એ તેજ મૂર્તિનું કાર્ય છે પણ મૂર્તિથી જુદી વસ્તુ નથી, માટે સ્વામી-સેવક ભાવ નથી, પણ કાર્ય-કારણ ભાવ ને શરીર-શરીરી ભાવ છે.
પ્ર.૫ જે વસ્તુ જુદી ન હોય તેમાં કાર્ય-કારણ ભાવ ને શરીર-શરીરી ભાવ કેવી રીતે હોય?
ઉ.૫ જેમ સૂર્યનું તેજ સૂર્યને આધારે છે ને અગ્નિની જ્વાળા અગ્નિને આધારે છે તેમ શ્રીજીમહારાજનું તેજ શ્રીજીમહારાજને આધારે છે. માટે આધાર-આધેય ભાવ ને કાર્ય-કારણ ભાવ તથા શરીર-શરીરી ભાવ છે એમ (પ્ર. 64/1માં) કહ્યું છે.
પ્ર.૬ અક્ષરધામ શ્રીજીમહારાજથી જુદી વસ્તુ નથી ત્યારે (સાતમી બાબતમાં) એ અક્ષરધામ બીજે રૂપે કરીને શ્રીજીમહારાજની સેવામાં રહે છે, એમ કહ્યું તે બીજું રૂપ કેવી રીતે સમજવું? અને સેવા શી સમજવી?
ઉ.૬ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે તે મૂર્તિમાન મૂળઅક્ષરનું શરીરી, વ્યાપક, દૃષ્ટા, આત્મા ને આધાર છે. તે મૂળઅક્ષરમાં અંતર્યામીપણે રહીને તે મૂળઅક્ષરદ્વારે સર્વેની ઉત્પત્યાદિક કરાવે છે. તે મૂર્તિમાન અક્ષરને આ તેજરૂપ અક્ષરધામનું બીજું રૂપ કહ્યું છે અને સર્વેની ઉત્પત્તિ કરવી તે સેવા કહી છે, પણ હજૂરની સેવા કહી નથી; અખંડ સેવામાં તો મુક્ત રહ્યા છે એમ કહ્યું છે. અને મુક્તને જ પોતાના દાસ કહ્યા છે, ને પોતાને મુક્તના સ્વામી કહ્યા છે. અને અક્ષરધામ તો શ્રીજીમહારાજનો પ્રકાશ છે તે પ્રકાશરૂપ ધામને ને શ્રીજીમહારાજને સ્વામી-સેવકપણું કહેવાય નહિ. અને (આઠમી બાબતમાં) અક્ષરના સાર્ધમ્યપણાને પામે છે, એમ કહ્યું છે, તે નિરાકાર અક્ષરના સાર્ધમ્યપણાને પામે છે, એમ કહ્યું છે. પણ મૂર્તિમાન અક્ષરના સાર્ધમ્યપણાને પામે છે એમ નથી કહ્યું, કેમ જે મૂર્તિમાન અક્ષરના મુક્ત તો જુદા છે. અને શ્રીજીમહારાજના તેજરૂપ થઈને એ તેજમાં એકતા કરે તો જ શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય. તે (મ. 50માં) એકરસ પરિપૂર્ણ એવું બ્રહ્મસ્વરૂપ જે શ્રીજીનું તેજ, તેમાં આત્માને લીન કરીને, તેમાં મહારાજ ને મુક્ત રહ્યા છે તેમને વિષે પ્રીતિ જોડવી એમ કહ્યું છે. માટે અક્ષરના સાર્ધમ્યપણાને પામવાની વાત જ્યાં આવે ત્યાં શ્રીજીમહારાજના તેજરૂપ નિરાકાર અક્ષર જાણવું, તે નિરાકાર અક્ષર જે શ્રીજીમહારાજનું તેજ તેમાં એકતા કરવાથી શ્રીજીની મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તે મુક્તનો ચૈતન્ય શ્રીજીમહારાજના જેવો જ સાકાર થઈ જાય છે, જેમ ભમરીને ધ્યાને ઇયળની ભમરી થઈ જાય છે તેમ.
પ્ર.૭ શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને સાકાર મૂળઅક્ષરનું શરીરી ને વ્યાપક, દૃષ્ટા ને આત્મા કહ્યું તે કિયા વચનામૃતમાં કહ્યું છે?
ઉ.૭ (પ્ર. 64/1માં) આ અક્ષરધામને સાકાર મૂળઅક્ષરનું શરીરી તથા વ્યાપક, દૃષ્ટા ને આત્મા કહ્યું છે, ને (કા. 8/1માં) પણ સાકાર અક્ષરનું આત્મા કહ્યું છે.
પ્ર.૮ અક્ષરધામને વિષે શ્રીજીમહારાજની સેવા મુક્ત કરે છે એમ કહ્યું તે ધામમાં સેવા શી હશે?
ઉ.૮ શ્રીજીમહારાજના મહિમાનું મુક્તને અપારપણું રહે છે. તેણે કરીને અતિશે દૃઢ સ્વામી-સેવકભાવ છે. તે સ્વામી-સેવકભાવ એ જ સેવા કહી છે, માટે સેવકભાવ છે એ જ સેવા છે. || 21 ||