સંવત 1882ના પોષ સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીંબડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિષે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમયમાં ગામ ભાદરણના કોઈક પાટીદાર આવ્યા. તેણે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,
ઇતિ વચનામૃતમ્ || 10 || (210)
રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે રાજારૂપે ને સાધુરૂપે પોતાના અવતાર થાય છે તેનાં લક્ષણ કહ્યાં છે. (1) અને અમે પૃથ્વીને વિષે મનુષ્યરૂપે પ્રગટ થયા છીએ, તે અમને ઓળખીને અમારો આશરો કરે તેનું કલ્યાણ થાય છે, અને અમે પૃથ્વી ઉપર મનુષ્યરૂપે વિચરતા ન હોઈએ ત્યારે અમને મળેલા એટલે અમારા ધામમાંથી આવેલા મુક્ત મળે તેનો આશરો કરે તો કલ્યાણ થાય, અને એવા મુક્ત મનુષ્યરૂપે ન હોય ત્યારે અમારી પ્રતિમાને વિષે પ્રતીતિ રાખીને ભક્તિ કરે તો મોક્ષ થાય એમ કહ્યું છે. (2) બાબતો છે.
પ્ર.૧ પહેલી બાબતમાં રાજારૂપે ને સાધુરૂપે ભગવાન પ્રગટ થાય છે એમ કહ્યું તે રાજારૂપે કેવી રીતે જાણવા? અને સાધુરૂપે કેવી રીતે જાણવા?
ઉ.૧ ભગવાન પૃથ્વીને વિષે પ્રગટ થઈને ગૃહસ્થના આશ્રમમાં રહે તે રાજારૂપે જાણવા. અને ત્યાગીના આશ્રમમાં રહે તે સાધુરૂપે જાણવા, પણ સાધુને ભગવાન ન જાણવા. એ તો ભગવાન પોતે જ પ્રગટ થઈને ત્યાગીને વેષે વિચરતા હોય તે જ સાધુરૂપ જાણવા.
પ્ર.૨ બીજી બાબતમાં પ્રતિમાથી મુક્તને વિશેષ કહ્યા તે કેમ સમજવું?
ઉ.૨ ફક્ત શ્રીજીમહારાજનું જ્ઞાન સમજવા માટે પ્રતિમાથી મુક્તને વિશેષ કહ્યા છે, પણ ધ્યાન-ભજન કરવાનું કહ્યું નથી.
Suggest a correction
Help improve this text. Our editors review every suggestion.