વિશ્રામ ૧૦૮

એક સમે બ્રહ્મચારી લક્ષ્મીનારાયણાનંદ સ્વામીએ વાતો કરી તેથી સત્સંગ કર્યો એવા રવાભાઈ નામે ગોદાવરી ગામના ગરાસિયાને જ્યારથી સત્સંગ થયો ત્યારથી વરસોવરસ રસોઈ આપતા અને ધોતિયાં ઓઢાડતા. તેમની ઉપર લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારી રાજી થઈ બોલ્યા જે, "માગો!" ત્યારે રવોજીભાઈ કહે: "અંતકાળે તેડવા આવજો." સ્વામી કહે: "એ તો શ્રીજીનો આપેલ વર છે."

લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારી માંદા થયા, દેહ મેલવો હતો ત્યારે કહ્યું જે, "રવાભાઈ ક્યાં છે?" ત્યારે કહે: "રવાભાઈ કારોલ ગયા છે." ત્યારે બ્રહ્મચારી કહે જે, "તે પણ મારી સાથે ધામમાં આવે છે." પછી વળી કહ્યું: "આ વાસુદેવાનંદ સ્વામી અને શ્રીજીમહારાજ આવ્યા છે, તે રવાભાઈને તેડવા માટે કારોલ જાય છે."

જે દિવસે રવાભાઈએ દેહ મૂક્યો તે દિવસે રાત્રે તે સ્વામી પણ સાજા, સારા અને શરીરે કંઈ પણ મંદવાડ નહિ ને તરત દેહ મૂક્યો. કારોલના વાળંદને દર્શન થયાં અને ડાહ્યા વાણિયાને પણ દર્શન થયાં અને એમ જાણ્યું જે મુળીથી લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારી આવ્યા તે રવાભાઈને ધામમાં તેડી ગયા. એવી રીતે એમનો વર રાખવા સારુ એક રાત્રે દેહ મૂક્યો.

ઇતિ શ્રી બ્રહ્મચારી કરુણાનંદ કથિત એકસો આઠમો વિશ્રામ.