૩૩

મોટાને વિષે જીવ જોડે તો દેહ છતાં જ કૃતાર્થપણું મનાઈ જાય છે. કરોડ જન્મ સુધી ને કોટી કલ્પ સુધી સાધન કરીએ તે હાડકાં સુકાઈ જાય, પણ ધામ મળતું નથી; એ તો મુક્તદ્વારે જ મળે છે. મોટા તો ચહાય તે કરવા સમર્થ છે. જીવના ઘાટ સંકલ્પને મોટા જાણે છે.