૭૬

મૂર્તિમાંથી ઝળળળ ઝળળળ તેજ છૂટે છે. તે તેજમાં મૂર્તિ રહી છે. તે મૂર્તિમાં કલ્પે કલ્પ વીતી જાય. તો પણ એ સુખમાંથી બહાર અવાય જ નહિ. સદાય મૂર્તિમાં જ રહેવાય, તે ઉત્તમ સ્થિતિ છે. એ કરવા આપણે ભેળા થયા છીએ.