૯. સ્તુતિ
જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે;
જેના રોમ સુછિદ્રમાં અણુસમા, બ્રહ્માંડ કોટિ ફરે.
માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞા ન લોપે ક્ષણ;
એવા અક્ષરધામના અધિપતિ, શ્રી સ્વામિનારાયણ.
આવી અક્ષરધામથી અવનીમાં, જે દેહધારી થયા;
આપ્યાં સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા.
કીધા ચારું ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી;
વંદુ મંગળ મૂર્તિ ઉર ધરી, સર્વોપરી શ્રીહરિ.
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો, લૈ તીર્થમાંહી ફર્યા;
રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા.
મોટાં ધામ રચ્યાં રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી;
અન્તર્ધાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં ઉચ્ચરી.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ।
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।।
ત્વમેવ વિદ્યા ચ દ્રવિણં ત્વમેવ ।
ત્વમેવ સર્વમ્ મમ દેવ દેવ ।।
નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તા ।
સધર્મ ભક્તેરવનં વિધાતા ।।
દાતા સુખાનાં મનસેપ્સિતાનાં ।
તનોતુ કૃષ્ણોઙખિલ મંગલં નઃ ।।