દિવ્ય શ્રદ્ધાંજલિ
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ‘મળે જીવનમુક્ત જોગિયા’ -એ કીર્તનના ચોથા પદમાં કહે છે :
ધન્ય ધન્ય એ સંત સુજાણને,
જેનું ઊલટી પલટ્યું આપ;
સંત તે સ્વયં હરિ.
આપ ટળી મળ્યા ભગવાનમાં,
જેના આપમાં હરિનો વ્યાપ. ૧
જેના શીશમાં શીશ છે શ્યામનું,
જેના નેણમાં નાથનાં નેણ; ૨
જેના મુખમાં મુખ મહારાજનું,
જેના વેણમાં વા’લાનાં વેણ. ૩
જેના કાનમાં કાન છે કૃષ્ણના,
જેના નાકમાં નાસિકા નાથ; ૪
જેની જીભમાં જીભા જીવનની,
જેના હાથમાં હરિના હાથ. ૫
જેના હૃદયમાં હૃદય હરિ તણું,
જેના પાવમાં પ્રભુના પાવ; ૬
જેમ હીરો હીરા વડે વેંધીએ,
તેમ થયો તે સહજ સમાવ. ૭
એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ,
માટે સંત છે સુખનું ધામ; ૮
ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે,
તેને રહેવાનું સંત છે ઠામ. ૯
એવા સંત શિરોમણિ ક્યાં મળે,
જેણે દેહબુદ્ધિ કરી દૂર; ૧૦
કહે નિષ્કુળાનંદ એને સંગે,
ઊગે અંતરે આનંદ સૂર. ૧૧
આ પદમાં સ્વામીશ્રીએ કહ્યા મુજબ ‘જેનું ઊલટી પલટ્યું હતું આપ’ અને ‘જેને સંગે ઊગતા હતા અંતરે આનંદ સૂર’ એવા સંતપુરુષ - અનાદિ મુક્ત સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતાના પાવનકારી જીવનપ્રસંગો અને તેમની દિવ્યવાણી, દિવ્ય શ્રદ્ધાંજલિ રૂપે बहुजन हिताय, बहुजन सुखाय च રજૂ કરીએ છીએ.