વાત : ૧૪૫

શ્રીજીમહારાજે કહ્યું જે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું તેવો તપ, દાન, તીર્થ, અષ્ટાંગયોગ તેણે કરીને નથી થાતો. એવો જે સત્સંગ તે તો મોટા સંતના સમાગમથી સમજાય છે. તે હેતુ માટે મન, કર્મ, વચને કરીને તેનો સંગ કરવો.।।૧૪૫।।