વાત : ૪૩૩

આત્મજ્ઞાન તથા વૈરાગ્યાદિક સર્વે સાધન છે તે માહાત્મ્યે સહિત જે ભક્તિ તેને અર્થે છે. ને ત્યાગ તો તેનું નામ જે ઇંદ્રલોકને પામીને પણ બંધાય નહિ ને પાછો નીસરી આવે તેને કહીએ અને શુભ કર્મને અર્થે યત્ન કરે પણ ન બની આવે તો હર્ષ, શોક પામે નહિ.।।૪૩૩।।