વાત : ૩૭૭

સવાસનિક સાથે હેત કરે તો પોતે જે લોકમાં જાય ત્યાં તેને લઈ જાય અને એમ કહે જે આપણે હમણે મોજું (એશઆરામ, મજા) કરીને ધીરે ધીરે જાશું. અને નિર્વાસનિક સાથે હેત હોય તો ક્યાંય ન બંધાવા દે અને ધક્કે મારીને અક્ષરધામમાં લઈ જાય।।૩૭૭।।