વાત : ૫૫૯

સંતે કહ્યું જે મહારાજ મળ્યા એટલે શાંતિ થઈ ગઈ. ત્યારે મોટા સંત કહે જે ઉત્તમ મુમુક્ષુને તો દર્શને કરીને જ શાંતિ થાય છે. ને માની અને લોભી એવા જે મુમુક્ષુ હોય તેને તો માન ને લોભ સોતા જો સત્સંગ રહે તો શાંતિ રહે, નહિ તો ઉદ્વેગ રહે.।।૫૫૯।।