વાત : ૪૧૬
ભગવાનનું માહાત્મ્ય જાણતો હોય તો પણ જો વૈરાગ્યનો વિચાર એને આવડતો હોય તો એ માહાત્મ્ય ટકે નહિ. અને વૈરાગ્યના વિચારે કરીને માયિક સર્વે પદાર્થની તુચ્છતા ને નાશવંતપણું જાણ્યું હોય તો એનું મન કોઈ પદાર્થમાં અટકે નહિ. અને એને માહાત્મ્ય, જ્ઞાન દૃઢ થાય. માટે ચાર પ્રકારના પ્રલયે કરીને વૈરાગ્યની દૃઢતા કરવી.।।૪૧૬।।