વાત : ૪૬૮

અને જગત આદ્યે નહોતું ને અંતે પણ નહિ રહે ને મધ્યે ઝાંઝવાના જળની પેઠે જણાય છે તે કહ્યું છે જે,

न यदिदमग्र आस।।१

अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत !

अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना।।२

(૧.અર્થ :- જે આ જગત છે તે આથી પહેલાં ન હતું.

૨. અર્થ :- હે ભારત ! આ દેવ મનુષ્યાદિક ભૂત પ્રાણીમાત્રના પૂર્વાવસ્થા, તેમ જ અંત અવસ્થા તે સ્પષ્ટ જણાય તેવી નથી. માત્ર મધ્ય અવસ્થામાં જ સ્પષ્ટ જણાય છે તો તે માટે દુઃખ નિમિત્ત શોક શા માટે કરવો. (ગી. અ. ૨-૨૮))।।૪૬૮।।